Loading guide...
Loading...
Loading guide...
(૧) એક જ પેઢીના કાયદેસરના વારસો વચ્ચે હક્કમી
જો જમીન એક જ પેઢીના સીધા સંબંધ ધરાવતા કાયદેસર વારસદારો વચ્ચે ફારગતી / હક્કમી કરવામાં આવે તો એવો દસ્તાવેજ રજીસ્ટરકરાવવાની ફરજ નથી.
✔ "એક જ પેઢી" તરીકે માન્ય સંબંધો:
ઉપરોક્ત સંબંધના કાયદેસર વારસો વચ્ચે હક્કમી કરવામાં આવે તો:
પ્રક્રિયા (Process)
નોંધ :
આ માટે સબ જીસ્ટાર કચેરીએ હકકમી અંગે ના લેખને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત નથી, પરંતુ જો આવો કોઇ લેખ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો પણ 200/- ના સ્ટેમ્પ પર કરી શકાય છે.
(૨) એક જ પેઢી સિવાય અન્ય કોઈ વ્યક્તિ / તૃતીય વ્યક્તિને હક છોડવો હોય તો
જો હક્કમી એક જ પેઢીના સંબંધો સિવાય: અન્ય કોઈ સગા,, ઉતારામાં નામ ધરાવતા કોઈ અન્ય સહકબ્જેદાર, અથવાઅન્ય તૃતીય વ્યક્તિને કરવામાં આવે તો:
પ્રક્રિયા (Process)
સ્ટેમ્પ ડ્યૂટી:
(૩) "એક જ પેઢી" હોવા છતાં પણ રજીસ્ટ્રેશન ફરજિયાત બનતી પરિસ્થિતિ
એક જ પેઢીના વારસો વચ્ચે હક્કમી કરવામાં આવી રહી હોય, પરંતુ તેમાં અવેજી લેવડદેવડ (Consideration) દર્શાવેલ હોય અને તેની રકમનો સ્પષ્ટ ઉલ્લેખ હક્કમીના લેખમાં હોય, તો એવો હક્કમી લેખ માત્ર 200/- ના સ્ટેમ્પ પર નોટરીથી માન્ય ગણાતો નથી. આવા કિસ્સામાં,
સંક્ષિપ્ત સાર (Key Takeaways)
હક્કમીનો લેખ (Release / Relinquishment Deed) બનાવતી વખતે નીચેની બાબતોનું ચોક્કસ અને પૂર્ણ ઉલ્લેખ કરવો ફરજિયાત છે. જમીનના અધિકાર હસ્તાંતરણનો આ દસ્તાવેજ ભાવિ વિવાદોમાં મહત્વપૂર્ણ સબૂત બને છે, તેથી દરેક માહિતી સ્પષ્ટ અને નિર્વિવાદ હોવી જોઈએ.
હક આપનાર અને હક મેળવનારની સંપૂર્ણ ઓળખની વિગતો
હક્કમીના લેખમાં હક આપનાર અને હક મેળવનાર બંને પક્ષોની ઓળખ સંબંધિત વિગતો — જેમ કે નામ, પિતા/પતિનું નામ, ઉંમર, ધંધો/વ્યવસાય અને રહેઠાણનું સંપૂર્ણ સરનામું — સચોટ અને પૂર્ણ રીતે દર્શાવવી ફરજિયાત છે, કારણ કે આ વિગતો ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય ચકાસણી અથવા દસ્તાવેજની સત્તાવાર પ્રમાણિકતા માટે વ્યક્તિની ઓળખ સાબિત કરવાનો મુખ્ય આધાર બને છે.
ખેતીની જમીનની સંપૂર્ણ વિગતો
જમીન સંબંધિત વિગતોમાં કોઈ અનિશ્ચિતતા ન રહે તે માટે હક્કમીના લેખમાં ખાતા નંબર, સર્વે નંબર/બ્લોક નંબર, જુનો સર્વે નંબર હોય તો તેની વિગતો, જમીનનું ક્ષેત્રફળ (હેક્ટર–આરે–ચો.મી.), તેમજ જમીન પર આવેલ કોઈ રચના, સુવિધા, બોર/કૂવો,અથવા અન્ય હિત (encumbrance) નો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે, જેથી હકક્મી અંગેની નોધ થયા બાદ સંબંધિત માહિતી ઉતારામાં સચોટ અને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય.
નોંધ :
મરણ હક્કમી કરવાની પ્રક્રિયા
મરણ હક્કમી માટે નીચેની કાર્યવાહી જરૂરી છે:
(૧) હક્કમી (Release / Relinquishment) માટેજરૂરીદસ્તાવેજો
જેમકે:
(૨) મરણ હક્કમી માટે જરૂરી દસ્તાવેજો
Answer બિનઅવેજી હક્કમી એ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ પોતાનો હિસ્સો અથવા હક જમીનમાં *કોઈ રકમ લીધા વગર (અવેજ વગર)* પોતાના જ કુટુંબના અન્ય સહકબ્જેદારને સ્વૈચ્છિક રીતે સોંપે છે.
આ પ્રકારની હક્કમી સામાન્ય રીતે કુટુંબના સભ્યો વચ્ચે સંયુક્ત મિલકતમાંથી હિસ્સો છોડી આપવા માટે કરવામાં આવે છે.
Answer કામ સરળ, દસ્તાવેજ સચોટ, સમય બચત!
Answer (ઉદાહરણથી સમજીએ)
હા. બહેનોના નામ ફરી રેકોર્ડમાં દાખલ કરવા પડે છે.
Answer મરણ હક્કમી ત્યારે કરવામાં આવે છે જ્યારે ગુજરનારના બધા કાયદેસર વારસો પહેલેથી જ જમીનના રેકોર્ડમાં (7/12, 8-અ) દાખલ હોય. આવા કિસ્સામાં વારસાઈ કરવાની જરૂર નથી, ફક્ત ગુજરનારનું નામ રેકોર્ડમાંથી કમી કરવામાં આવે છે. જો ગુજરનાર નિર્વંશ હોય અને આડી લીટીના બધા વારસો રેકોર્ડમાં હોય, તો પણ મરણ હક્કમી થઈ શકે છે.
Answer જો હક્કમી એક જ પેઢીના વારસો (પિતા–પુત્ર, ભાઈ–ભાઈ, પતિ–પત્ની વગેરે) વચ્ચે બિનઅવેજી રીતે થાય, તો માત્ર ₹200 નો નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પૂરતો છે. — રજીસ્ટ્રેશન ફરજિયાત નથી, ઇચ્છા મુજબ કરાવી શકાય.
GujaratForms : એ એક સુવિધાજનક ડિજિટલ પ્લેટફોર્મ છે, જ્યાં તમે કોઈ પણ સરકારી ફોર્મ તમારી વ્યક્તિગત માહિતી સાથે ભરીને તરત ડાઉનલોડ કરી શકો છો. આથી, ફોર્મ મેળવનાની અને તેને યોગ્ય રીતે ભરવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સમય બચાવનારી બની જાય છે.